Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

પટેલ રાસ મંડળી લતીપુર દ્વારા મંગળવારે સ્‍નેહમિલન

રાજકોટના હેમુ ગઢવી હોલમાં સમારોહ : લોક કલાકારો - સંસ્‍થાઓનું સન્‍માન કરાશે

રાજકોટ, તા. ૨૮ : ગુજરાતની પરંપરાગત લોકકલાના જતન અને સંવર્ધન ક્ષેત્રે સમર્પિત ૮૨ વર્ષ જૂની કલા સંસ્‍થા શ્રી પટેલ રાસ મંડળી લોકકલા ટ્રસ્‍ટ લતીપુર (જી. જામનગર)ના ઉપક્રમે તા.૩૧ જાન્‍યુઆરીના મંગળવારે બપોરે ૨થી ૫ હેમુ ગઢવી નાટયગૃહ, રાજકોટ ખાતે લોક કલાકારો અને લોકકલા સંસ્‍થાઓનો સ્‍નેહમિલન સમારોહ યોજવામાં આવેલ છે.

રાષ્‍ટ્રીય એવોર્ડ થી પુરસ્‍કળત થયેલા ગુજરાતના ખ્‍યાતનામ દિગ્‍ગજ કલાકારો નો સન્‍માન સમારંભ અને લોક કલાકારો તથા લોક કલા સંસ્‍થાઓના તોહ મિલનનો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. આ કાર્યક્રમમાં ગુજરાતના ઇતિહાસમાં -થમ વખત રાષ્‍ટ્રીય સંગીત નાટક અકાદમીના ચેરમેન પદે નિયુક્‍ત થયેલા વિખ્‍યાત કલાકાર ડો. સંધ્‍યા પૂરેચાજી, ગુજરાતના પ્રખર લોકકલાવીદ પદ્મશ્રી જોરાવરસિંહજી જાદવ તથા ગુજરાતના પદ્મશ્રી અને રાષ્‍ટ્રીય એવોર્ડ થી સન્‍માનિત થયેલા વિખ્‍યાત કલાકારો પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ, શ્રી શંકરભાઈ ધરજીયા, શ્રી નિરંજનભાઇ રાજ્‍યગુરુ શ્રી ડાયાભાઈ નકુમ, શ્રી પરવેજ પઠાણ વેગેરે નું જાજરમાન સન્‍માન થનાર છે

આ તકે કેન્‍દ્રીય સંગીત નાટક અકાદમી દિલ્‍હીના અધ્‍યક્ષા ડો.સંધ્‍યા પુરેચાજી અને પદ્મશ્રી લોકકલાવિદ જોરાવરસિંહજી જાદવનું સન્‍માન કરાશે. તેમજ સંગીત નાટક અકાદમી દિલ્‍હીના એવોર્ડીઓનું પણ સન્‍માન કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે લતીપુરની શ્રી પટેલ રાસ મંડળી ભારતના મોટાભાગના રાજયો અને ૨૫થી વધુ દેશોમાં પારંપારિક લોકકલા રજૂ કરી ચુકેલ છે. ૧૯૪૦માં કે. આણદાણી સુધી ચોથી ચોથી પેઢી નેતૃત્‍વ સંભાળી રહેલ છે. આવનાર નવી પેઢીને દાંડીયા રાસ અને ગરબાની પારંપારિક કલા મળી રહે તે માટે આ સંસ્‍થાના સતત પ્રયાસો રહે છે.

પારંપારિક લોકકલામાં કરેલ સુંદર મંચન બદલ પટેલ પુરસ્‍કાર, ગુજરાત લોકકલા પુરસ્‍કાર, રજત શ્રીફલ, ગુજરાત ગૌરવ, ભારત સ્‍વાભિમાન પુરસ્‍કાર, સ્‍વર્ણિમ ગુજરાત મહોત્‍સવ, યુવા પાટીદાર રત્‍ન પુરસ્‍કાર, ગુર્જર કલા ભૂષણ અને ડો.નેલ્‍સન મંડેલા ગ્‍લોબલ બ્રીલીયન્‍ટ એવોર્ડ સહિતના સન્‍માનો મળી ચૂકયા છે.

ત્‍યારે લોકકલાના જતન અને સંવર્ધન માટે પ્રયત્‍નશીલ શ્રી પટેલ રાસ મંડળી લોકકલા ટ્રસ્‍ટ લતીપુર દ્વારા તા.૩૧મીએ રાજકોટ ખાતે સ્‍નેહમિલન અને સન્‍માન સમારોહનું આયોજન થયુ હોય લોકકલા સંસ્‍થાઓ અને લોકકલાકારોમાં અનેરો ઉમંગ છવાયો હોવાનું સંસ્‍થાના શ્રી મહેન્‍દ્રભાઈ આણદાણી (મો.૯૮૨૫૨ ૬૦૩૧૨)ની યાદીમાં જણાવાયુ છે.(૩૭.૯)

આમંત્રિતોએ પાસ મેળવી લેવા

રાજકોટ, તા. ૨૮ : લતીપુર પટેલ રાસ મંડળી આયોજીત આ ત્રિવિધ સમારોહ માટે આમંત્રિતોએ પાસ મેળવવા તા. ૩૦ના સાંજે ૬:૩૦ થી ૭:૩૦ દરમિયાન સોનલબેન સાગઠીયા (કંકણ ગ્રુપ) (મો.૯૯૨૪૦ ૯૩૧૩૮) અને રાસ મંડળી લતીપુરના કર્ણધાર મહેન્‍દ્રભાઈ આણદાણી (મો.૯૮૨૫૨ ૬૦૩૧૨)નો શાષાી મેદાન સામે લાલ બહાદુર શાષાી વિદ્યાલય, મહાત્‍મા ગાંધી ટ્રસ્‍ટના કમ્‍પાઉન્‍ડ, રાજકોટ ખાતે સંપર્ક કરવા જણાવ્‍યુ છે.

(12:42 pm IST)