Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

મેઘરાજા નહિ તો સરકાર વરસશે : નર્મદાના નીરથી ફરી આજી ભરાશે

રાજકોટને આવતા અઠવાડિયે ૧૮૦ MCFT જળ જથ્‍થો ફાળવવા સરકાર સહમત : રાજકોટની જળ સમસ્‍યા ટળી જશે

રાજકોટ, તા.૩૦: શહેરને પાણી પુરૂ પાડતા આજી-૧માં આવતા સપ્તાહ સુધીમાં નર્મદાનીર ઠાલવવામાં આવનાર હોવાનું મ્‍યુ.કમિશ્નર અમિત અરોરાએ જણાવ્‍યુ હતુ.

શહેરના મુખ્‍ય જળાશય એવા આજી ડેમમાં ૩૦ જુન સુધીનો જ જળજથ્‍થો ઉપલબ્‍ધ હોય અને આગામી દિવસોમાં અપુરતો  વરસાદ થવાના સમયે સ્‍થાનીક જળાશયમાં ઉપલબ્‍ધ મર્યાદીત જળજથ્‍થાને અનુલક્ષીને આગોતરૂ આયોજન કરવા, શહેરમાં  દૈનીક ૨૦ મીનીટ પાણી પુરવઠો સુચારૂ રૂપે  જાળવી  રાખવા માટે  મ્‍યુ.કમિશ્નર દ્વારા સરકારને પત્ર પાઠવી આજી ડેમમાં સૌની યોજના અંતર્ગત ૧૮૦ એમસીએફટી  નર્મદાનીર  ઠાલવવા પત્ર પાઠવી માંગણી કરવામાં આવી છે.

 આવતા અઠવાડિયામાં આજી-૧ ડેમમાં સૌની યોજના હેઠળ રાજકોટને પાણી ફાળવવા ઢાંકી પંમ્‍પીંગ સ્‍ટેશનથી એક-બે દિવસમાં પાણી છોડવામાં આવશે અને આવતા સપ્તાહે ડેમમાં પાણી ઠાલવવાનું શરૂ થઇ જશે. આ માટે નર્મદા નીગમનાં અધિકારીઓ સાથે વાત કરી હોવાનું અમિત અરોરાએ જણાવ્‍યુ હતુ.

(3:41 pm IST)