Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

છાત્ર સંગઠનો માટે પૂ. હરિપ્રસાદજીનું કાર્ય અવિસ્મરણીયઃ ડો. જોષીપુરા-ડો. ત્રિવેદી

રાજકોટ તા. ર૯: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પૂર્વ કુલપતિ અને NMML ભારત સરકારનાં સભ્ય પ્રો. કમલેશ જોશીપુરા અને પૂર્વ કુલપતિ ડો. કલ્પક ત્રિવેદી એ દેશ-વિદેશમાં સનાતન ધર્મનાં પ્રસાર-પ્રચાર અર્થે પ્રેમ, કરણા અને સરળ-સહજ જીવન દ્વારા જન-જનમાં ધમાનુરાગની જયોત જલાવી છે તેવા સ્વામીનારાયણ સંત પૂ. શ્રી હરિપ્રસાદ સ્વામીજીનાં અક્ષરવાસ   માટે અંજલી આપી છે.

ડો. જોશીપુરા અને ડો. ત્રિવેદીએ અંજલી આપતાં જણાવ્યું છે કે, અમારી વિદ્યાર્થી પ્રવૃતિ દરમ્યાન પ્રત્યેક છાત્ર સંગઠનોને એક છત્ર હેઠળ લાવી અને સામાજીક ઉત્થાન અને વ્યકિત નિર્માણની પ્રવૃતિઓ જોતરવા તેઓએ અવિસ્મરણીય કાર્ય કર્યું છે, સરળતા, સહજતા અને સામંજયસ્ય સાથે સૌને કરૂણાભાવ સાથે જોડનાર સંત આધ્યાત્મિક ક્ષેત્રનાં જયોતિર્ધર હતા. 

(3:14 pm IST)