Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

મોરબીમાં લોહીની ઉલ્‍ટી થયા પછી મધ્‍યપ્રદેશના ભગવાનસિંગનું મોત

નશો કરવાની આદત હતીઃ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૩૦: વાંકાનેરમાં મોરબી-ઢુવા ચોકડી પાસે બોન્‍ઝા ટાઇલ્‍સ ફેક્‍ટરી પાસે રહેતાં અને મજૂરી કરતાં મુળ મધ્‍યપ્રદેશના ભગવાનસિંગ બાબુલાલસિંગ રજપૂત (ઉ.વ.૩૦) નામના યુવાનને સાંજે કંપનીની ઓરડીએ હતો ત્‍યારે લોહીની ઉલ્‍ટીઓ થવા માંડતા મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો. પરંતુ અહિ મોત નિપજ્‍યું હતું.

હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર ભગવાનસિંગ ત્રણ ભાઇમાં મોટો હતો. તેને સંતાનમાં બે પુત્ર છે. તેને દારૂ પીવાની આદત હોવાનું અને ગઇકાલે ઓચીંતી તબિયત બગડયા બાદ લોહીની ઉલ્‍ટીઓ ચાલુ થઇ ગયાનું પરિવારજનોએ કહ્યું હતું. રાજકોટમાં મૃત્‍યુ નિપજ્‍યા બાદ મૃતદેહ વતન લઇ જવાયો હતો.

(11:39 am IST)