Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

રાજનગરમાં મકાનના ત્રીજા માળેથી પડી જતા રાજેશભાઇ રાઠોડનું મોત

તેર દિવસ પહેલા બનાવ : મકાનનું કામ ચાલુ હોઇ અગાશી પર જોવા જતા પગ લપસતા પટકાયા'તા

રાજકોટ તા. ૩૦: મવડી રોડ રાજનગરમાં મકાનના ત્રીજા માળેથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
મળતી વિગત મુજબ રાજનગર શેરી નં. ૩માં રહેતા રાજેશભાઇ નટવરલાલ રાઠોડ (ઉ.૪૩)ના મકાનનું કામ ચાલુ હોઇ તેથી ગત તા. ૧૭ના રોજ તે ત્રીજા માળે અગાશી પરથી પગ લપસતા પડી જતા પગ અને કમ્મરના ભાગે ઇજા થતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં ગઇકાલે તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતક રાજેશભાઇ સલુન ચલાવતા હતા. તેને સંતાનમાં ઍક પુત્રી છે. આ બનાવ અંગે ઍ.ઍસ.આઇ. ગીતાબેન પંડયાઍ કાર્યવાહી કરી જેની તપાસ હેડ કોન્સ. રાજદીપસિંહે હાથ ધરી છે.(૨૧.૨૯)

(3:50 pm IST)