Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

બાલભવનમાં રંગ જમાવતો નવરાત્રી રાસોત્‍સવ : દરરોજ વિજેતા જાહેર

રાજકોટ : દર વર્ષની જેમ બાલભવન ખાતે નવરાત્રી રાસોત્‍સવનું આયોજન કરાયુ છે. વિઝયુઅલ સ્‍ક્રીન ઇફેકટ અને રોશનીના ઝગમગાટ વચ્‍ચે બાળ દોસ્‍તો  ડીસ્‍કો દાંડીયાનો લ્‍હાવો લઇ રહ્યા છે. બાલભવનના માનદમંત્રી મનસુખભાઇ જોષી અને ટ્રસ્‍ટી ડો. અલ્‍પનાબેન ત્રિવેદી (હેલીબેન)ના માર્ગદર્શન હેઠળ ઓફીસ સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટ કિરીટભાઇ વ્‍યાસ તથા બાલભવનની ટીમના સતત મોનીટરીંગ વચ્‍ચે વિશાળ જોકર ગ્રાઉન્‍ડમાં ઓરકેસ્‍ટ્રા સાઝ ઔર આવાઝના તાલે દરરોજ ખેલૈયાઓમાંથી વિજેતા જાહેર કરવામાં આવે છે. ૪૦ જેટલા બાળકોને પ્રિન્‍સ પ્રિન્‍સેસ જાહેર કરવામાં આવે છે. બીજા નોરતે શ્રી દિહોરા, શ્રી જાડેજા, જે.યુ.ભટ્ટ, ધમેન્‍દ્રબા જાડેજા, વર્ષાબા જાડેજા સહીતના મહેમાનોએ માં જગદંબાની આરતીનો લ્‍હાવો લીધો હતો. નિર્ણાયકોમાં દુર્ગાબેન બાવીશી, મીરાબેન જાની, ભુમિબેન પંડયા, લ્‍યુસીબેન બગડાઇએ સેવા આપી હતી. વિજેતાઓને મહેમાનોના હસ્‍તે ઇનામ વિતરણ કરવામાં આવેલ. સમગ્ર સંચાલન પલ્લવીબેન વ્‍યાસે સંભાળ્‍યુ હતુ.

(4:11 pm IST)