Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

વૈષ્‍ણવાચાર્ય પૂ.જયદેવલાલજીના સાંનિધ્‍યમાં રવિવારે પુષ્‍ટિ રાસોત્‍સવઃ કાન-ગોપીમય રાસ

રાજકોટ તા.૩૦: રાજકોટના આંગણે રવિવારે પૂ.જયદેવલાલજી મહોદયના શ્રીમુખેથી પુષ્‍ટિ રાસોત્‍સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યુ છે.

શ્રીમદ વલ્લાચાર્ય સેવા સંઘ દ્વારા વૈષ્‍ણવ આચાર્ય પ.પૂ.૧૦૮ જયદેવલાલજી મહોદય(કડીકલોલ)ના સાનિધ્‍યમાં વૈષ્‍ણવો માટે ૨ ઓકટોબર ૨૦૨૨ને રોજ રાત્રિ ૮.૩૦થી ૧૧.૩૦ કલાક સુધી, મેસોનીક હોલ ભુતખાના ચોક, એસટી બસ સ્‍ટેન્‍ડ પાસે, રાજકોટ ખાતે પુષ્‍ટિ રાસોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યુ છે. પુષ્‍ટિ રાસોત્‍સવના કાર્યક્રમમાં કીર્તનો તથા રાસ ગરબાથી તમામ વૈષ્‍ણવોને શ્રીનાથજીમય કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમ વલ્‍લભીયસૃષ્‍ટિને આધારે વૈષ્‍ણવોના રીતરિવાજ મુજબ યોજાનાર છે. પુષ્‍ટિ રાસોત્‍સવ કાર્યક્રમમાં પધારવા સમસ્‍ત વૈષ્‍ણવજનોને નિમંત્રણ પાઠવવામાં આવ્‍યુ છે.

(4:12 pm IST)