Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

રાજકોટમાં દેહદાન પ્રત્યે લોકો જાગૃત થાય તે માટે શ્રી ગિરિરાજ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ તથા પોસ્ટર વિતરણ કાર્યક્રમઃ રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા સહિતનાની ઉપસ્થિતિઃ

રાજકોટઃ રાજકોટમાં દેહદાનને મહત્વ આપવા માટે અને દેહદાન પ્રત્યે લોકો જાગૃત થાય તે માટે શ્રી ગિરિરાજ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ તથા પોસ્ટર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ , ગુજરાત ભાજપ ડોકટર સેલના ડો. અતુલભાઈ પંડ્યા, સૌરાષ્ટ્ર ઝોન ભાજપ ડોકટર સેલના ડો. અમિતભાઈ હપાણી , રાજકોટ ભાજપ ડોકટર સેલના ડો ચેતનભાઈ લાલસેતા, કોર્પોરેટર ડો. દર્શનાબેન પંડ્યા,અશ્વિનભાઈ પાંભર , બીપીનભાઈ બેરા, પ્રીતિબેન દોશી, ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના રાજકોટના પ્રમુખ ડોકટર પ્રફુલભાઈ કામાણી, ડો. મયંકભાઈ ઠાકર સહિતના ઉપસ્થિત રહ્યા હતા જે તસવીરમાં નજરે પડે છે.

(11:30 am IST)