Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

શાપર-વેરાવળના નિલેશની હત્યામાં સોહીલ જલવાણીને રૂરલ એસઓજીએ ઝડપી લીધો

બે દિ' પુર્વે જ રૂરલ ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી બે શખ્સોને ઝડપી લીધા'તાઃ હજી એકની શોધખોળ

રાજકોટ, તા., ૨૯: શાપર-વેરાવળના દલીત યુવાનની હત્યામાં સંડોવાયેલ શખ્સને રૂરલ એસઓજીએ ઝડપી લીધો હતો. બે દિ' પુર્વે જ રૂરલ ક્રાઇમ બ્રાંચે આ હત્યાનો ભેદ ઉકેલી બે શખ્સોને દબોચી લીધા હતા. જયારે બે શખ્સે નાસતા ફરતા હતા.

ગત તા. ર૩ના રોજ શાપર-વેરાવળ પો.સ્ટે.વિસ્તારમાં પારડી શીતળા મંદિર ઓવરબ્રીના પુલીયા નીચેથી નિલેશ ઉર્ફે ભદો દેવશીભાઇ સોંદરવા (ઉ.વ.ર૩) રહે. હાલ વેરાવળ સર્વોદય સોસાયટી મુળ ગામ કટકપરા, તા. માણાવદર વાળાની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી.

રેન્જ ડીઆઇજી સંદીપસિંહ તથા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ સદરહું હત્યાના ગુન્હાના આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે એસઓજી  ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.જાડેજા તથા પો.સબ ઇન્સ. એચ.એમ.રાણા સ્ટાફના એ.એસ.આઇ. ઉપેન્દ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ. વિજયગીરી ગોસ્વામી નાઓને હ્યુમન રીસોસીસ દ્વારા  ચોક્કસ હકીકત મળેલ કે આ હત્યાનો આરોપી સોહીલ રહીમભાઇ જલવાણી રહે. પારડી વાળો પોતાના રહેણાંક મકાને આવતો હોવાની હકીકત મળતા પારડી પડવલા રોડ ઉપર વોચમાં હતા તે દરમ્યાન મજકુર આરોપી મળી આવતા હસ્તગત કરી શાપર (વે) પો.સ્ટે.ને સોંપી આપેલ છે.

(12:39 pm IST)