Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

આગ-હોનારત-ધરતીકંપમાં લોકોનો બચાવ કેમ કરશો? મનપાનાં કર્મચારીઓ માટે તાલીમ કેમ્પ યોજાયો

રાજકોટ : સ્વચ્છ ભારત મિશન ૨.૦ અંતર્ગત આગામી સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૨ અન્વયે રાજકોટ મહાનગરપાલિકાની વેસ્ટ ઝોન કચેરી હેઠળના વર્ગ-૧ થી ૪ સુધીના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓને  ડિઝાસ્ટર/એપેડેમીક રિસ્પોન્સ અંગેની તાલીમનો કાર્યક્રમ તા. ૨૬ નાં રોજ વેસ્ટ ઝોન મીટીંગ રૂમ ખાતે યોજવામાં આવેલ. આ તાલીમમાં આગ, પુર-હોનારત, ધરતીકંપ જેવી કુદરતી આપદા સમયે સ્વ બચાવ તેમજ અન્ય લોકોના બચાવ માટે કઈ રીતે કાર્યવાહી કરવી તે અંગેની વિસ્તૃત માહિતી/ડેમોન્સ્ટ્રેશન કાલાવાડ રોડ ફાયર સ્ટેશનનાં  સ્ટેશન ઓફિસર  વિગોરા તેમજ  દવે દ્વારા આપવામાં આવેલ. આ ઉપરાંત એપેડેમીક અંગે ખાસ કરીને મચ્છર જન્ય રોગ જેવા કે ડેન્ગ્યું, ચિકનગુનિયા, કોરોના તેમજ વાઈરલ ફ્લુ જેવી બીમારી તેમજ પાણી જન્ય  રોગ જેવા કે ઝાડા-ઉલ્ટી, કોલેરા વિગેરે જેવા રોગોને  ફેલાતો અટકાવવા માટે લેવાના થતા પગલા તેમજ આવા દર્દીઓને સારવાર માટે શું શું કાર્યવાહી કરવી એ અંગેની તાલીમ આરોગ્ય વિભાગના મેડીકલ ઓફિસર  રાવલ દ્વારા આપવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા આસી. કમિશનર  સમીર ધડુકનાં માર્ગદર્શન હેઠળ આસી. મેનેજર મનીષ વોરા  તથા   વિવેક મહેતાની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ.

(2:49 pm IST)