Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

નવલનગરમાં સંજયભાઇ ચોૈહાણ પર પુત્ર રાજનો ત્રિશુલથી હુમલો

અલગ રહેતાં પ્રોૈઢ ઘરે આટો મારવા જતાં માથાકુટ થઇ

રાજકોટ તા. ૩૦: ભકિતનગર સર્કલ નજીક મનસા તિર્થ એપાર્ટમેન્ટ પાસે અંજલી ટ્રાવેલ્સની ઓફિસે રહેતાં અને ડ્રાઇવીંગ કરતાં સંજયભાઇ રામસિંહભાઇ ચોૈહાણ (ઉ.વ.૫૦) રાતે દોઢેક વાગ્યે નવલનગરમાં આવેલા પોતાના ઘરે જતાં પુત્ર રાજે ઝઘડો કરી ત્રિશુલથી હુમલો કરી ઇજાઓ પહોંચાડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે માલવીયાનગરમાં જાણ કરી હતી.સંજયભાઇના કહેવા મુજબ પોતાને એક પુત્ર અને એક પુત્રી છે. કેટલાક મહિનાથી પોતે અલગ રહે છે. રાતે ઘરે આટો મારવા જતાં પુત્રને ન ગમતાં માથાકુટ કરી હુમલો કર્યો હતો. અગાઉ પણ ડખ્ખો કરવામાં આવ્યાનું તેણે કહ્યું હતું. 

(3:04 pm IST)