Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

કથાકાર લક્ષ્મણ મહારાજના વ્યાસાસને વિમલનગર શેરી નં. ૪ માં આયોજીત કથામાં સાંજે રૃક્ષ્મણી વિવાહ

રાજકોટઃ રાજકોટના કાલાવડ રોડ -યુનિવર્સિટી રોડ વચ્ચે આવેલા પુષ્કરધામની પાછળ વિમલનગરશેરી નં. ૪ ખાતે  સમસ્ત લતાવાસી ગોપી મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. જેના વ્યાસાસને ગોવર્ધન વ્રજધામના પૂ. લક્ષ્મણ મહારાજ બિરાજીને સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. જેમાં ઓરગન  પ્લેયર ભાણજીભાઇ અને તબલાવાદક પ્રમોદભાઇ અને સુભાષભાઇ સાથ આપશે. કથાનો સમય દરરોજ સવારે ૯ થી બપોરના ૧ર અને બપોરના ૩ થી સાંજના ૭ વાગ્યા સુધીનો કરાવી રહ્યા છે.  શ્રીમદ ભાગવત સપ્તાહમાં દરરોજ સવારે ૮ થી ૯ દરમિયાન પુજાવિધિ કરાશે. (વ્રજ) ગોર્વધન ખાતે આશ્રમ નિર્માણમાં સહયોગ આપવા માટે આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં તા.રપ-૧--રરને શુક્રવારે બપોરે ૩ વાગ્યે પોથીયાત્રા. તા.ર૭ ને રવિવારે બપોરે ૧ર વાગ્યે કપીલ જન્મ, સાંજે પ.૩૦ વાગ્યે નૃસિંહ જન્મોત્સવ ઉજવાયો હતો.  તા.ર૮-૧૧-રરને સોમવારે બપોરે ૧૧ વાગ્યે વામન જન્મ, બપોરે ૧ર વાગ્યે શ્રીરામ જન્મ, સાંજે પ.૩૦ વાગ્યે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો. આજે સાંજે પ વાગ્યે રૃક્ષ્મણી વિવાહ તથા તા.૧-૧ર-રરને ગુરૃવારે સાંજે પ.૩૦ વાગ્યે સુદામા ચરિત્ર સાથે શ્રીમદ ભાગવત સપ્તાહ વિરામ લેશે. વિમલનગર શેરી નં. ૪, પુષ્કરધામ પાછળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ ખાતે ભાવીકોને કથા શ્રવણનો લાભ લેવા સમસ્ત લતાવાસી ગોપી મંડળ દ્વારા આમંત્રણ પાઠવાયું છે. વધુ વિગત માટે ઇલાબેન (મો. ૯૯૯૮૦ ૪૧પ૯૭) શાસ્ત્રી પૂ. લક્ષ્મણ મહારાજ (મો.નં. ૯૭૧ર૩ ૭પર૪૭) સતીષ મહારાજ (મો. ૯૯ર૪૪ ૦૪૭પ૮) હંસરાજભાઇ (મો. ૮ર૧૮પ ૯૧૪૯૮) ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:54 pm IST)