Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

સ્વ. કિશનની સ્મૃતિમાં રકતદાન શિબિર

 શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં વર્ષો સુધી ફરજ બજાવી નિવૃત થયેલા મુળ ઉપલેટાના જામટીંબડી ગામના વતની કડવા પટેલ દંપતિ હસમુખભાઇ અને ભારતીબેન ધમસાણીયાના એકના એક લાડકવાયા સ્વ. કિશનની પ્રથમ વાર્ષિક પૂણ્યતીથીએ થેલેસેમીયા પીડિત બાળકોના લાભાર્થે રકતદાન કેમ્પનું આયોજન કરાયુ હતુ. વિવેકાનંદ યુથ કલબ અને રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી યોજાયેલ આ રકતદાન શિબિર પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અગ્રણી શ્રીમતી અંજલીબેન રૂપાણીના હસ્તે દીપપ્રગટયથી ખુલ્લી મુકાઇ હતી. આ પ્રસંગે શહેર ભાજપ અધ્યક્ષ કમલેશભાઇ મિરાણી, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શહેર ભાજપ ઉપાધ્યક્ષ વિક્રમભાઇ પુજારા, શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, કોર્પોરેટર જીતુભાઇ, ઉકાભાઇ સાણજા, રવિરત્ન પાર્ક નાગરિક મંડળના સી. એન. જાવીયા, મગનભાઇ ઝાલાવડીયા, જગદીશભાઇ પટેલ, નરેન્દ્રભાઇ આરદેશણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ૪૯ જેટલા રકદાતાઓ ભાઇ બહેનોએ રકતદાન કરી સ્વ. કિશનને માનવસેવારૂપે શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. તમામ રકતદાતાઓને પુસ્તક તેમજ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહીત કરાયા હતા. રકતદાતાઓ માટે ફ્રુટી તેમજ લીંબુ સરબતની વ્યવસ્થા પણ કરાઇ હતી. સમગ્ર રકતદાન શીબીરને સફળ બનાવવા હસુભાઇ ધમસાણીયા, ભારતીબેન પટેલ, અનુપમ દોશી, ભુપેન્દ્ર રૂપારેલીયા, કાંતિભાઇ સાવલીયા, હિંમતભાઇ માલવીયા, છગનભાઇ દેસાઇ, રોનકકુમાર, મહેશભાઇ, અનોખીબેન, નિરાલીબેન વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:05 pm IST)