Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

૧૬ વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર રીશીવ ઉર્ફે સાગર પકડાયો

યુનિવર્સિટી પોલીસે બીહારના શખ્સને ન્યારાગામ પાસેથી દબોચ્યો

રાજકોટ,તા. ૩૧: શહેરના જામનગર રોડ વિસ્તારની ૧૬ વર્ષની સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનારા બિહારના શખ્સને યુનિવર્સિટી પોલીસે ન્યારાગામ પાસેથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ જામનગર રોડ વિસ્તારની ૧૬ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી સાગર ઠાકુર નામનો શખ્સ એક માસ પહેલા ભગાડી ગયો હતો. પરિવારજનોએ સગીરાની શોધખોળ કરતા તે મળી ન આવતા યુનિવર્સિટી પોલીસ મથકમાં સગીરાના પરિવારજનોએ ગત તા. ૪ના રોજ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. એ.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી. દરમ્યાન પી.એસ.આઇ એ.બી.જાડેજા, એ.એસ.આઇ બળભદ્રસિંહ ચુડાસમા, હેડ કોન્સ. ગીરીરાજસિંહ, હરપાલસિંહ, યુવરાજસિંહ, રાજેશભાઇ, લક્ષ્મણભાઇ, જયંતીગીરી, બળભદ્રસિંહ, રાવતભાઇ, તથા બ્રીજરાજસિંહ સહિતે બાતમીના આધારે રીશીવ ઉર્ફે સાગર અબધેરાભાઇ ઠાકુર (ઉવ.૨૦) (રહે ગોકુલનગર, શાયના શેરીમાં આલાભાઇ આહીરના મકાનમાં ભાડે જામનગર મૂળ સાગરપુર બરડી પોખર, જી.મધુવતી-બિહાર)ને ન્યારાગામ પાસેથી પકડી લીધો હતો. તપાસ દરમ્યાન આરોપી સાગરે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવતા પોલીસે બળાત્કારની કલમનો ઉમેરો કરી તપાસ હાથ ધરી છે.

(3:08 pm IST)