Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ખાદ્યતેલોમાં મંદીઃ સીંગતેલ અને કપાસીયા તેલમાં ૧૦ રૂ.નો ઘટાડો

રાજકોટ તા. ૩૧ : નવા સપ્તાહના પ્રારંભે ખાદ્યતેલોમાં મંદીનો દોર જારી રહ્યો છે. આજે સીંગતેલ અને કપાસીયા તેલમાં વધુ ૧૦ રૂ.નો ઘટાડો નોંધાયો છે.

સ્થાનીક બજારમાં કાચામાલની આવકો વધ્યાના અહેવાલે સીંગતેલમાં ૧૦ રૂ. ઘટયા હતા સીંગતેલ લુઝ ૧૦ કિ.ગ્રા.ના ભાવ ૧૩૭પ હતા તે ઘટીને આજે બપોરે ૧૩૬પ રૂ. બોલાયા હતા જયારે સીંગતેલ નવા ટીનના ભાવ ર૪૮૦ થી રપર૦ રૂ. હતા તે ઘટીને ર૪૭૦ થી રપ૧૦ રૂ. થયા હતા. કપાસીયા તેલમાં પણ ૧૦ રૂ. ઘટતા કપાસીયા ટીનના ભાવ ર૩૦૦ થી ર૪ર૦ રૂ. હતા તે ઘટીને ર૩૭૦ થી ર૪૧૦ રૂ. થયા હતા.

(5:05 pm IST)