Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

આજે તમાકુ નિષેધ દિન નિમિતે ગુરૂકુળના બાળકોની રેલી

રાજકોટઃ આજે તમાકુ નિષેધ દિન નિમિતે શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળ રાજકોટ સંસ્‍થાનના બાળકોએ શ્રી સત્‍યસંકલ્‍પદાસજી સ્‍વામીના માર્ગદર્શન અનુસાર વ્‍યસન મુકિત રેલી કાઢેલી જે કોઠારીયા નાકા ૮૦ ફુટ રોડ વાણીયાવાડી વગેરે વિસ્‍તારમાં ફરી હતી એ સાથે જ  શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળમાં શ્રી દેવકૃષ્‍ણદાસજી સ્‍વામી તથા મહંત સ્‍વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્‍વામીએ લોકોમાં વિશેષ જનજાગૃતિ લાવવા અર્થે ગુટકા તમાકુ સિગારેટ બીડી આદિકની હોળી કરી હતી. આ પ્રસંગે શ્રી દેવકૃષ્‍ણદાસજી સ્‍વામીએ કહ્યું હતું કે ગુજરાતમાં જ વર્ષ દહાડે તમાકુના સેવનથી ર૦,૦૦૦ ઉપરાંત લોકોના મોત નીવડે છે. ઘણી વખત કેન્‍સરના દર્દીને સારવાર કરવામાં પોતાના પગાર કરતા પણ ડબલ ખર્ચો થઇ જવા છતાં રોજથી છુટકારો મળવો મુશ્‍કેલ બની જતો હોય છે ત્‍યારે આપણા બાળકો યુવાનો અને પરિવારને વડીલો પ્રેમથી સમજાવી વ્‍યસનથી દૂર રાખવા પ્રયત્‍ન કરશે તો આજની યુવા પેઢી વ્‍યસનથી બચી શકશે.

(4:22 pm IST)