Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

નરેન્‍દ્રભાઇ મોદીએ દેશની જનતાના હૃદયમાંઅમિટસ્‍થાન મેળવ્‍યુઃ કિર્તિબા રાણા

વડાપ્રધાન મોદીના નેતૃત્‍વવાળી કેન્‍દ્ર સરકારના સફળતા પૂર્વક નવ વર્ષ પુર્ણ થતા અભિનંદન પાઠવતા કોર્પોરેટર

રાજકોટ તા. ૩૧ : શહેરના વોર્ડ-૧૭ના ભાજપના કોર્પોરેટર કિર્તિબા રાણાએ દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વવાળી કેન્‍દ્રની ભાજપ સરકારને સફળતાપૂર્ણ નવ વર્ષ પૂર્ણ થવાના અવસરે શુભેચ્‍છાસહ અભિનંદન પાઠવતા જણાવેલ કે નરેન્‍દ્રભાઇ મોદી છેલ્લા નવ વર્ષો દરમ્‍યાન પોતાના વડાપ્રધાનપદના કાર્યકાળ દરમ્‍યાન રાજકીય, આર્થિક, સામાજીક, સંરક્ષણ ક્ષેત્રે અનેકવિધ સુધારાઓ અમલમાં મુકી દેશની જનતાના હૃદયમાં અમિટ સ્‍થાન મેળવ્‍યું છે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તેમજ ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વમાં કેન્‍દ્ર સરકારના નવ વર્ષ પૂર્ણ થયેલ છે ત્‍યારે છેલ્લા ઘણા સદકોથી દેશની જનતાના માનસપટ પર ઇચ્‍છાઓ અને આંકાક્ષાઓના સપના સાકાર થઇ રહ્યા છ.ે

તેમ અંતમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ નેતૃત્‍વવાળી કેન્‍દ્રની ભાજપ સરકારને સફળતા પૂર્ણ નવ વર્ષ પૂર્ણ થવાના અવસરે શુભેચ્‍છાસહ અભિનંદન પાઠવતા અંતમાં કિર્તિબા રાણાએ જણાવેલહતું.

(5:18 pm IST)