Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

રાજકોટ સિવિલમાં લોહી ચડાવવા જવાનું કહી રતનબેન તેની બે દીકરીઓ સાથે ગુમ

મોરબીના રફાળેશ્વર ગામનો બનાવ : પોલીસ તપાસ શરૂ

મોરબી તા. ૩૧ : મોરબી તાલુકાના રફાળેશ્વર ગામની પરિણીતા તેની બે દીકરીઓ સાથે ઘરેથી નીકળ્યા બાદ પરત નહિ ફરતા પતિએ બનાવ અંગે પોલીસને જાણ કરી છે.

મોરબીના રફાળેશ્વર પાનેલી રોડના રહેવાસી ધનજીભાઈ બાબુભાઈ બથવાર તાલુકા પોલીસને જણાવ્યું છે કે દીકરી આરતીનું થેલેસેમિયા માટે લોહી ચડાવવા દશ વાગ્યાના સુમારે રાજકોટ સરકારી હોસ્પિટલ લોહી ચડાવવાનું જવાનું કહીને પત્ની રતનબેન (ઉ.વ.૩૦) તેમજ દીકરી આરતી (ઉ.વ.૧૩) અને દયા (ઉ.વ.૦૮) એ ત્રણેય રફાળેશ્વરથી રીક્ષામાં રાજકોટ જવા નીકળ્યા હતા અને બાદમાં ઘરે પરત ફર્યા નથી તાલુકા પોલીસે મહિલા અને તેની બે દીકરીઓ ગુમ થયાના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

(2:53 pm IST)