Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

રૂખડીયાપરા રાજીવનગરમાં નાનીમાના ઘરેથી સગીરા ગુમઃ અપહરણનો ગુનો

ભગવતીપરામાં રહેતા અજય નામના શખ્સ સામે શંકા

રાજકોટ તા. ૩૧: રૂખડીયાપરાના રાજીવનગરમાં નાની માના ઘરે છેલ્લા પંદર દિવસથી રહેતી સગીરા ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રૂખડીયા પરા પાસે રાજીવનગરમાં નાનીમાના ઘરે રહેતી ૧૭ વર્ષની સગીરા છ દિવસ પહેલા નાનીમાના ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી. તપાસ દરમ્યાન રૂખડીયાપરા શેરી નં. ર માં રહેતો અજય કટરીયા નામનો શખ્સ ભગાડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવમાં સગીરાની માતા-પિતા ભગવતીપરામાં રહે છે. માતા મજૂરી કામ કરે છે અને પિતા રીક્ષા ચલાવે છે. અજય નામનો શખ્સ ભગવતીપરામાં સામે રહે છે. અગાઉ સગીરાના માતા-પિતા સાથે અજયને ઝઘડો થતા તેણે સગીરાને ભગાડી જવાની ધમકી આપી હોવાનો સગીરાની માતાએ આક્ષેપ કર્યો છે. સગીરાની સાતમ-આઠમમાં સગાઇ કરી હોઇ, તેથી માતાએ સગીરાને પંદર દિવસથી રાજીવનગરમાં રહેતા નાનીના ઘરે મુકી આવ્યા હતા. આ બનાવ અંગે પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ એલ. એલ. ચાવડાએ તપાસ હાથ ધરી છે. 

(3:41 pm IST)