Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

વરસાદથી વિજ તંત્રને ભારે નુકસાન સૌરાષ્ટ્રમાં ૪૪૧ થાંભલા પડી ગયા

૨૧ ગામડાઓમાં અંધારપટ્ટ : રાજકોટનાં ૪ ફીડર બંધ

રાજકોટ તા. ૩૧ : છેલ્લા બે દિવસના વરસાદથી સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ તારાજીના દ્રશ્યો સર્જાયા છે. વીજ તંત્રને ભારે નુકસાન થયું છે.

પીજીવીસીએલ એ જાહેર કર્યા મુજબ સૌરાષ્ટ્રમાં ૪૪૧ થાંભલાઓ પડી ગયા છે અને ૧૭૬ ફીડરો બંધ થતાં ૨૧ ગામડાઓમાં અંધારપટ્ટની સ્થિતિ સર્જાઇ છે.

જ્યારે રાજકોટ શહેરમાં ૪ ફીડરો બંધ થતાં અનેક વિસ્તારોમાં વિજળી ગુલ થઇ ગઇ છે.

(3:49 pm IST)