Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

ઢાંઢણીમાં ગઇકાલે તણાયેલા સુરેશ રાઠોડની લાશ મળી

બેઠા પુલથી ત્રણ કિ.મી. આગળથી મૃતદેહ મળ્યો

રાજકોટઃ ગઇકાલે સવારે ત્રંબાથી ઢાંઢણીના બેઠા પુલ પરથી સુરેશ શામાભાઇ રાઠોડ (ઉ.વ.૩૫) નામનો કોળી યુવાન પગપાળા બેઠા પુલ પરથી પસાર થતી વખતે તણાઇ ગયો હતો. તેની આજે બપોરે ત્રણેક કિ.મી. દૂર ચેકડેમમાંથી લાશ મળી આવતાં કોળી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહેમત બાદ મૃતદેહ શોધી કાઢ્યો હતો. મૃતક વિધવા માતાનો એકનો એક પુત્ર હતો. તેને ત્રણ સંતાન છે. ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીએ સતત ફાયર બ્રિગેડની ટીમો સાથે સંપર્કમાં રહી શોધખોળ કરાવી હતી. તસ્વીર ત્રંબાથી જી.એન. જાદવે મોકલી હતી.

(3:52 pm IST)