Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

રાજકોટમાં સાંજે કોરોનાના વધુ 10 કેસ નોંધાયા : અંકુરનગરમાં 4 કેસ,આશાપુરા સોસાયટીમાં 1 કેસ, અમીનમાર્ગમાં,વાંકાનેર સોસાયટીમાં, ગોવર્ધન ચોક,સૂર્યનારાયણ અને વાણિયાવાડીમાં 1-1 કેસ નોંધાયો : વધુ 25 દર્દીઓએ કોરોનાને હરાવ્યો

રાજકોટ : રાજકોટ શહેરમાં આજે સાંજે 10 કેસ નોંધાયા છે. જેમાં અંકુરનગરમાં ૪૭ વર્ષીય પુરૂષ , ૨૩ વર્ષીય યુવાન , ૪૭ વર્ષીય મહિલા , શનેશ્વર સોસાયટીમાં ૪૪ વર્ષીય પુરૂષ , આશાપુરા સોસાયટીમાં ૬૦ વર્ષીય વૃધ્ધા , અમીન માર્ગમાં ૪૭ વર્ષીય મહિલા , વાંકાનેર સોસાયટીમાં ૪૦ વર્ષીય મહિલા , ગોવર્ધન ચોકમાં ૬૫ વર્ષીય વૃધ્ધા , સુર્યનારાયણમાં ૨૪ વર્ષીય યુવાન અને વાણીયાવાડીમાં ૩૯ વર્ષીય યુવતી કોરોના સંક્રમિત થયા છે.

હાલ શહેરમાં 133 દર્દીઓ સારવાર હેઠળ છે. અઆજદિન સુધીમાં કુલ ૪૩૦૯૫ કેસ નોંધાયા છે.

 છેલ્લા 24 કલાકમાં 25 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે

(9:12 pm IST)