Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ખોખડદડ નદી પાસે વેલનાથપરામાં વર્ષાબેન જતાપરાએ ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

સવારે ચારેક વાગ્યે બારીમાં ચુંદડી બાંધી લટકી ગયાઃ કારણ અકળ

રાજકોટ તા. ૩૧: શહેરના કોઠારીયા રોડ ખોખડદડ નદીના પુલ પાસે વેલનાથપરામાં રહેતાં વર્ષાબેન વલ્લભભાઇ જતાપરા (કોળી) (ઉ.વ.૪૭) નામના મહિલાએ વહેલી સવારે ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

વહેલી સવારે ચારેક વાગ્યે પરિવારજન જાગ્યા ત્યારે વર્ષાબેન બારીમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાધેલી હાલતમાં જણાતાં દેકારો મચી ગયો હતો. તેમને નીચે ઉતારી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનં તબિબે જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના એએસઆઇ આર. બી. ગીડાએ આજીડેમ પોલીસને જાણ કરી હતી.

આપઘાત કરનાર વર્ષાબેનને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પતિ વલ્લભભાઇ રવજીભાઇ જતાપરા કારખાનામાં કામ કરે છે. આપઘાતનું કારણ પોતે જાણતા ન હોવાનું કહેતાં પોલીસે તપાસ યથાવત રાખી છે. 

(3:19 pm IST)