Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

લોકોને પ્રસંગો માટે પાબંદી અને ભાજપને રોડ શો કરવાની છુટ? : આશિષસિંહ વાઢેરનો આક્રોશ

રાજકોટ તા. ૩૧ : એક તરફ કોરોના પ્રસરવાનો ભય સતાવી રહ્યો છે. ત્યારે ભાજપ વગર વિચાર્યે રોડ શો ના આયોજનો કરે છે. ત્યાં કોઇને નિયમો નડતા નથી? તેમ સવાલો ઉઠાવતા શહેર કોંગ્રેસ સમિતિ ફરીયાદ સેલના ચેરમેન આશિષસિંહ વાઢેરે એક યાદીમાં જણાવ્યુ છે.

તેઓએ જણાવ્યુ છે કે ભાજપ સરકારે નિયમોનો ઉલાળીયો કરી રોડ શો યોજી પોતાની માનસીકતા છતી કરી છે. લોકોને કોઇ પ્રસંગ કરવા હોય તો વધુ લોકો ભેગા કરવા પર પ્રતિબંધ છે અને ભાજપને આવા આયોજનો કરવામાં કોઇ રોક ટોક નહીં? રેલીમાં સોશ્યલ ડીસ્ટન્સ તો બાજુએ રહ્યુ પણ માસ્ક પહેરવાની પણ કોઇએ તસ્દી લીધી હોય તેવુ જણાયુ નહોતું. તેમ અંતમાં આક્રોશ વ્યકત કરતા આશિષસિંહ વાઢેરે જણાવ્યુ છે. 

(4:18 pm IST)