News of Wednesday, 1st February 2023
સરસઇમાં ઘરે પડી જતાં નાથાભાઇ રાઠોડનું મોત
રાજકોટ હોસ્પિટલમાં દમ તોડયોઃ પરિવારમાં શોક
રાજકોટ તા. ૧: વિસાવદરના સરસઇ ગામે રહેતાં નાથાભાઇ રાણાભાઇ રાઠોડ (ઉ.વ.૮૫)નું ઘરે પડી જતાં માથામાં ઇજા થવાથી મોત નિપજ્યું હતું.
નાથાભાઇ રાઠોડને આંખે ઓછુ દેખાતું હોઇ ૨૯મીએ ઘરે ચાલતી વખતે પડી જતાં માથામાં ઇજા થતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ગત રાતે દમ તોડી દીધો હતો. તેમને સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્ર છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે વિસાવદર પોલીસને જાણ કરી હતી.
(11:49 am IST)