મનપા વેરા શાખાની કડક ઝૂંબેશઃ ર૮ મિલ્કત સીલઃ ૮૯ને જપ્તીની નોટીસ
રાજકોટ : શહેરના બાકી મિલ્કતદારો સામે મનપાની વેરા વસુલાત શાખા દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે અડધા દિવસમાં ફુલછાબ ચોક, કસ્તુરબા રોડ, મધુવન પાર્ક, આજી ડેમ વિસ્તાર, ચંપકનગર, સંત કબીર રોડ, ઢેબર રોડ, ભકિતનગર સ્ટેશન પ્લોટ, ગોંડલ રોડ, યુનિ. રોડ, કાલાવાડ રોડ, રામેશ્વર ઇન્ઙ એરીયા, સુખોયનગર, મવડી મેઇન રોડ, ચંદ્રેશનગર મેઇન રોડ, સોરઠીયાવાડી વિસ્તાર, ૮૦ ફુટ રીંગ રોડ, બાપુનગર, નવા થોરાળા, કે. પી. ઇન્ઙ ઝોન, મારૂતિ ઇન્ઙ એરીયા તથા નહેરૂનગર ઇન્ઙ એરીયા સહિતના વિસ્તારોમાં ર૮ મીલ્કતોને સીલ મારવામાં આવેલ. ર મિલ્કતોના નળ જોડાણ કપાત કરાયેલ તથા ૮૯ ને ટાંચ જપ્તીની નોટીસ ફટકારાયેલ. આ સમગ્ર કાર્યવાહીથી રૂા. ૭૪.૧૪ લાખની રિકવરી થઇ હતી. આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુખરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇ. દ્વારા આસી. કમિ. સમીર ધડુક તથા વી. એમ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.