News of Friday, 1st July 2022
અષાઢી બીજ નિમીતે ધજા ચડાવતી વખતે વિજકરંટ લાગતાં સુરેશ દાઝયો
કાથરાટામાં મહાકાળી માતાજીના મંદિરે બનાવ
રાજકોટ તા. ૧: આજે અષાઢી બીજ નિમીતે સરધારના કાથરોટા ગામમાં એક યુવાન માતાજીના મંદિર પર ધજા ચડાવતો હતો ત્યારે વિજકરંટ લાગતાં દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. જાણવા મળ્યા મુજબ કાથરોટા ગામે રહેતો અને છુટક મજૂરી કરતો સુરેશભાઇ ભગાભાઇ બાવળીયા (ઉ.૩૫) આજે સવારે અગિયારેક વાગ્યે ગામમાં આવેલા મહાકાળી માતાજીના મંદિરે અષાઢી બીજ નિમીતે દર્શન કરવા ગયો હતો. ત્યાં મંદિર ઉપર ધજા ચડાવતી વખતે વિજતારને હાથ અડી જતાં કરંટ લાગતાં દાઝી ગયો હતો. તેને પ્રથમ સરધાર ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં પ્રાથમિક સારવાર બાદ રાજકોટ સિવિલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.
(1:37 pm IST)