News of Tuesday, 1st September 2020
ગણપતિ વિર્સજનના સ્થળો પર પોલીસ કમિશનરનું ઓચિંતુ ચેકીંગ
રાજકોટઃ આ વર્ષે કોરોનાની મહામારીને કારણે ગણપતિ ઉત્સવમાં પંડાલો ઉભા કરવા તથા જાહેરમાં ઉજવણી કરવા ઉપર પ્રતિબંધ મુકાયો હોઇ તેમજ મુર્તિઓનું જાહેરમાં વિસર્જન કરવાની પણ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મનાઇ ફરમાવી જાહેરનામુ બહાર પાડ્યું હોઇ લોકો આમ છતાં આજીડેમ સહિતના સ્થળોએ વિસર્જન માટે પહોંચ્યા તો નથી ને? તેનું નિરિક્ષણ કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ આજીડેમ સહિતના વિસર્જનના સ્થળોએ બપોરે અચાનક પહોંચ્યા હતાં. સાથે એસીપી એચ. એલ. રાઠોડ, ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી. કે. ગઢવી, આજીડેમ પીઆઇ વી. જે. ચાવડા સહિતનો સ્ટાફ પણ જોડાયો હતો. આજીડેમ સહિતના સ્થળોએ વિસર્જન ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોઇ તેનું પણ નિરિક્ષણ કર્યુ હતું.
(4:07 pm IST)