રાજકોટ
News of Tuesday, 1st September 2020

રાજકોટ શહેરના આઠ પીએસઆઇની અરસપરસ બદલી કરતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ

ભક્તિનગરના સાંકળીયાની સાયબર ક્રાઇમમાં,અને પી,સી,જેબલિયાની પી,સી,બી,માં બદલી : ગાંધીગ્રામના રબારીને પણ સાયબર ક્રાઇમમાં મુકાયા

રાજકોટ શહેરના આઠ પીએસઆઇની અરસપરસ બદલીના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા હુકમો કરાયા છે જેમાં  ભક્તિનગરના સાંકળીયાની સાયબર ક્રાઇમમાં,અને પી, સી, જેબલિયાની પી,સી,બી,માં બદલી કરાઈ છે જયારે ગાંધીગ્રામના રબારીને પણ સાયબર ક્રાઇમમાં  મુકાયા છે આ સિવાય મહિલા પોલીસ સ્ટેશનના બી,પી,વેગડાને એમ,ઓ,બીમાં અને એમ,ઓ,બીના વી,સી,રંગપડિયાને ટ્રાફિક શાખામાં મુકાયા છે

(7:48 pm IST)