સગીરાનું અપહરણ કરી દુષ્કૃત્ય આચરવા અંગે પકડાયેલ આરોપીની જામીન અરજી રદ
રાજકોટ, તા., ૧: સગીરાનું અપહરણ કરી દુષ્કૃત્ય આચરવાના ગુન્હામાં આરોપીની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ કરવાનો સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો.
ગત તા.૨-૧૨-૨૦ના રોજ રાજકોટ તાલુકાના ગામમાંથી સગીરાને અપહરણ કરી લઇ જઇ તેની સાથે દુષ્કૃત્ય આચરવાના ગુન્હામાં પોલીસે આરોપી નિતેશ રમેશભાઇ જેસાણી રહે. રાજકોટ વાળાની ધરપકડ કરી જેલહવાલે કરેલ.
જેલમાંથી આરોપીએ ચાર્જશીટ પછી જામીન ઉપર છુટવા જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર થઇ જામીન અરજીના વિરોધ કરતા રજુઆત કરેલ કે આરોપી સામે સમાજ વિરોધી ગુન્હો છે અને આવા અપહરણ કરી દુષ્કૃપ્ય આચરવાના ગુન્હા દીન પ્રતિદિન વધતા જાય છે. આવા આરોપીને જામીન આપી શકાય નહી તે રજુઆતને ધ્યાને લઇ સેસન્સ જજશ્રી કે.ડી.દવે એ જામીન અરજી રદ કરેલ છે.
આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.