ભકિતનગર સોસાયટી ગરબી મંડળ
રાજકોટ : શહેરના ભકિતનગર સર્કલ પાસે આવેલ ભકિતનગર સર્કલ ગરબી મંડળ દ્વારા છેલ્લા ૩૯ વર્ષથી આસો નવરાત્રી મહાપર્વની ખુબ હર્ષોલ્લાસ - ભકિતભાવથી ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ભકિતનગર સોસાયટી ગરબી મંડળ દ્વારા નવરાત્રીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ ૪૫ બાળાઓ દાંડીયા રાસ, હે કાના... રાસ, તાલી રાસ, ગાગર રાસ, ચોકડી રાસ, સાથિયા રાસ, ટીપ્પણી રાસ સહિતના રાસની તાલીમ લે છે. ગરબી મંડળમાં જીતેન્દ્રભાઇ જોશી, રાજુભાઇ પીપળીયા, દર્શનાબેન જોશી, જીજ્ઞેશભાઇ, કિશનભાઇ શીંગાળા સહિતના સેવા આપે છે. ગરબી મંડળના આયોજનને દિપાવવા ભકિતનગર સોસાયટી યુવક મંડળ આયોજીત નવરાત્રી મહોત્સવ ૨૦૨૦-૨૧ના પ્રમુખ દિલજીતસિંહ જાડેજા, સતીષભાઇ મકવાણા, હાર્દિક સતીકુંવર, સંજયભાઇ જોબનપુત્રા, રાજુભાઇ પીપળીયા, ધર્મેશભાઇ, જીતેન્દ્રભાઇ જોશી, દર્શનાબેન જોશી સહિતના કાર્યરત છે. પ્રસ્તુત તસ્વીરમાં રાસની તાલીમ લેતી બાળાઓ નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)