News of Saturday, 1st October 2022
વિમલનગર શેરીનં-૧માં નવદુર્ગા ગરબી મંડળમાં રાસ-ગરબાની રમઝટ
રાજકોટ : શહેરના કાલાવડ રોડ ઉપર આવેલ વિમલનગર શેરીનં. ૧ ખાતે દર વર્ષે ‘‘નવદુર્ગા ગરબી મંડળ'' દ્વારા ૯ દિવસ સુધી નવલા નોરતામાં બાળાઓ દ્વારા આરાધના કરવામાં આવે છે. આ પરંપરા આ વર્ષે પણ યથાવત છે. અહીં ગૃપ એ.બી. અને સી. ની બાળાઓ દ્વારા દરરોજ રાત્રીના ૯ થી ૧૧ વાગ્યા સુધી જુદા-જુદા રાસ- ગરબા રજુ કરવામાં આવે છે. અને લત્તાવાસીઓ દરરોજ રાત્રીના રાસ-ગરબા નીહાળે છે અને નાની બાળાઓને લ્હાણી અને પ્રસાદ આપે છે. બાળાઓના રાસ-ગરબા પછી જનરલ રાસમાં મહિલાઓ રાસ ગરબા રજુ કરે છે.
ગરબી મંડળની બાળાઓ માતાજીની આરાધના માટે અવનવા રાસ રજુ કરે છે. લત્તાવાસીઓના સૌના-સાથ સહકારથી દરવર્ષે નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.
(3:47 pm IST)