મોદી સ્કુલની ત્રણ બ્રાન્ચમાં આવતીકાલે રવિવારે રકતદાન કેમ્પ
ઇન્દીરાબેન જસાણીની સ્મૃતિરૃપે
રાજકોટઃ સ્વ.ઇન્દીરાબેન જસાણીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે તેમજ શ્રીપી.વી.મોદી સ્કુલ ઇન્દ્રપ્રસ્તનગર, શ્રીવીે.જે.મોદી ૧૫૦ ફુટ રીંગરોડ, શ્રીમોદી સ્કુલ–ંઅંબીકાપાર્ક, અને રોલેક્ષરીંગ–માલધારીચોક ખાતે, તા.૨/૧૦ રવિવાર, સવારે ૮.૩૦થી ૧ વાગ્યા સુધી, રાજકોટ સિવિલ હોસ્પીટલ તેમજ ઇન્ડિયન રેડક્રોષ બ્લડબેંકના જરૃરીયાતમંદ દર્દીઓને પુરતુ બ્લડ મળી રહે તેવા શુભઆશયથી મહા.રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
શ્રોમોદી સ્કુલના ડો.રશ્મીકાંતભાઇ મોદી, કું.નિધિબેન આર.મોદી, શ્રીધવલભાઇ આર.મોદી, શ્રીઆત્મનભાઇ આર.મોદી, મોદી સ્કુલ પરીવાર, જસાણી પરિવાર, રોલેેક્ષ રીંગના શ્રીમનિષભાઇ માદેકા, શ્રીમિહિરભાઇ માદેકા, શ્રીહેમલભાઇ માદેકા, શ્રીમદ રાજચંદ્ર સેવાગ્રુપના શ્રીવિનય જસાણી (૯૪૨૮૨ ૦૦૬૬૦), શ્રી દિપ કોટેચા, સિવિલ હોસ્પીટલ તથા ઇન્ડિયન રેડક્રોષના એમ.ડી. પેથોલોજીસ્ટ ડોકટર્સની ટીમ માનદ્ સેવા આપશે.