નવગામ ભાટીયા, ગોંડલ નિવાસી હાલ રાજકોટ ઉષાબેન દિનેશકુમાર સુરૈયાનું દુઃખદ નિધન :સવારે સ્મશાન યાત્રા
રાજકોટ : નવગામ ભાટીયા, ગોંડલ નિવાસી હાલ રાજકોટ ગં.સ્વ. ઉષાબેન દિનેશકુમાર સુરૈયા (ઉ.વ. 66) તે સ્વ.દિનેશકુમાર હરિદાસ સુરૈયા ના ધર્મપત્ની, તે સ્વ.લીલાવંતી હરિદાસ સુરૈયાના પુત્રવધુ,તે ગીતાબેન કનૈયાલાલ સુરૈયા,સ્વ.ચંદ્રિકાબેન ચંદ્રકાન્તભાઈ સુરૈયા, સ્વ.નીતાબેન ભરતકુમાર સુરૈયા તથા સ્મિતાબેન પ્રદ્યુમનભાઈ સુરૈયા ના દેરાણી, તે પારસભાઈ ના માતુશ્રી, તે હેમંતભાઈ,ધર્મેશભાઈ, કમલેશભાઈ ,તેજસભાઈ ,ચેતનભાઈ ,સ્વ.રાજુભાઈ ,સોનલબેન ,બાંસુરીબેન તથા અંકિતાબેન ના કાકી, તે સ્તુતિના દાદીમા, તે છીંદવાડાવાળા સ્વ.દુર્લભજીભાઈ ગોકળગાંધી ના દીકરી, તે શેખરભાઈના બેન તા.29/11/2022 ને મંગળવારના રોજ શ્રીજીચરણ શરણ થયેલ છે. સ્વર્ગસ્થની સ્મશાનયાત્રા તેમના નિવાસસ્થાન 'ભાગવત' 7, વૈશાલીનગર, રૈયા રોડ, રાજકોટ ખાતેથી રામનાથપરા સ્મશાને બુધવારે સવારે 7 કલાકે નીકળશે.