રાજકોટ
News of Wednesday, 30th November 2022

રાજકોટની જ્‍યુબીલી શાકમાર્કેટના બકાલી વસીમનું મોતઃ દેવીપૂજક શખ્‍સોએ મારકુટ કરીઃ હત્‍યા?

મોચીબજારમાં રહેતાં વસીમે સવારે સાતેક વાગ્‍યે શાકભાજીના થડા પાસે કચરો ફેંકવાની ના પાડતાં દેવીપૂજક સંજય અને નિલેષ સહિતનાએ મારમારી ગળાચીપ દીધાનો આક્ષેપઃ માથાકુટ બાદ ઘરે ગયા પછી વસીમ બેભાન થઇ ગયો અને સારવાર માટે ખસેડાયા બાદ મોત થયું: ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ રિપોર્ટની

મૃતક વસીમ મહીડા તથા તેનો નિષ્‍પ્રાણ દેહ, સગા સબંધીધો તથા જ્‍યાં ઘટના બની તે જ્‍યુબીલી શાકમાર્કેટ જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૩૦: શહેરની જ્‍યુબીલી શાક માર્કેટમાં થડો રાખી બકાલા અને ફ્રુટનો ધંધો કરતાં ભગવતીપરાના ઘાંચી યુવાન વસીમ હાસમભાઇ મહિડા (ઉ.વ.૨૩)નું સવારે શાક માર્કેટમાં માથાકુટ થયા બાદ મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે. કચરો ઉડાડવા જેવી બાબતે બાજુના થડાવાળા દેવીપૂજક શખ્‍સોએ મારકુટ કરી ગળાચીપ દીધાનો આક્ષેપ મૃતકના ભાઇ સહિતે કર્યો હોઇ પોલીસે મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવવા તજવીજ હાથ ધરી છે.

મૃત્‍યુ પામનાર વસીમ ત્રણ ભાઇ અને બે બહેનમાં નાનો હતો અને એક વર્ષ પહેલા જ શાદી થઇ હતી. હાલમાં તેની પત્‍નિ ફીઝાને સારા દિવસો જઇ રહ્યા છે. બનાવને પગલે જ્‍યુબીલી શાક માર્કેટના થડા બંધ થઇ ગયા હતાં. એ-ડિવીઝન પોલીસે વિશેષ તપાસ શરૂ કરી છે. બનાવની જાણ થતાં મૃતકના પરિવારજનો, સગાસંબંધીઓ મોટી સંખ્‍યામાં હોસ્‍પિટલે પહોંચ્‍યા હતાં.

વસીમ સવારે પોતાના થડે હતો ત્‍યારે સંજય અને નિલેષ નામના દેવીપૂજક ભાઇઓ તથા બીજા અજાણ્‍યા શખ્‍સોએ મારકુટ કર્યાનું જણાવાયું હોઇ પોલીસે આ શખ્‍સોને ઉઠાવી લેવા દોડધામ શરૂ કરી છે.

(1:36 pm IST)