રાજકોટ
News of Wednesday, 30th November 2022

અધિક સચિવ મનોજ પટેલ અને સંયુકત સચિવ જયેશ મિસણ નિવૃત

રાજકોટ : વર્ષ ૧૯૯પ માં જીપીએસસી ની સીધી ભરતીમાં સેકશન અધિકારી તરીકે  જોડાયેલા અને હાલ અધિક સચિવ સવર્ગ સુધી પહોંચનાર મિત્ર શ્રી મનોજ પટેલ આજે વયનિવૃતિ થયા છે હાલ ઉર્જા-પેટ્રોલકેમીકલ્સ ફરજ બજાવતા હતા. શ્રી જયેશ મિસણ સંયુકત સચિવ પણ આજે વય નિવૃત થયા છે. ૧૯૮૭ માં કલાર્ક તરીકે જોડાયેલા અને મહેસુલ વિભાગની રજિસ્ટ્રીમાં 'કારકુની'નો આનંદ માણેલો બન્ને ઉચ્ચ અધિકારીને આજે પાણી પુરવઠા વિભાગના અધિક સચિવ જયદીપ દ્વિવેદી અને અન્ય અધિકારીઓએ નિવૃતિ વિદાયમાન આપ્યું હતું.

(4:00 pm IST)