રાજકોટ
News of Friday, 2nd April 2021

મ.ન.પા.ના શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળાને કોરોના

તેમના પુત્ર-પુત્રી પણ કોરોનાથી સંક્રમીતઃ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ

રાજકોટઃ મ્યુ.કોર્પોરેશનનાં શાસક પક્ષનાં દંડક અને વોર્ડ નં.૧૩નાં કોર્પોરેટર સુરેન્દ્રસિંહ વાળા અને તેમના પુત્ર અને પુત્રી કોરોના સંક્રમિત થયા છે. આ અંગે સુરેન્દ્રસિંહ વાળાએ 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, બે દિવસ પહેલા શરીરમાં કડતર જેવુ લાગતા  ફેેમેલી ડોકરટરની સલાહ મુજબ કોરોનાનો આર.ટી.પી.સી.આર રીપોર્ટ કરાવ્યો હતો. આજે સવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વધુમાં શ્રી વાળાએ જણાવ્યુ હતુ કે, પરિવારજનોમાં પત્નીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જયારે ૨૪ વર્ષની પુત્રી અને ૨૧ વર્ષનાં પુત્રનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓએ અંતમાં જણાવ્યુ હતુકે, તબીયત સારી છે. ત્રણેય લોકો હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઇ રહ્યા છીએ.

(3:10 pm IST)