રફાળા ગામમાં શેલડિયા પરિવાર દ્વારા કાલે નવરંગો માંડવો અને યજ્ઞ
રાજકોટ સહિત ગામોના અગ્રણીઓ-પરિવારજનો જોડાશે
રાજકોટ, તા. ૩૦ : તાલુકાના કુવાડવા નજીક આવેલા રફાળા ગામમાં મેઇન બજારમાં શેલડિયા પરિવારના શ્રી બ્રહ્માણી માતાજીના જુના મઢ ખાતે તા. ૩ મે મંગળવારે શ્રી બ્રહ્માણી માતાજી તથા શ્રી ખોડીયાર માતાજીના નવરંગા માંડવાનું અને નવચંડી યજ્ઞનું રૂડુ આયોજન કરાયેલ છે. સંપર્ક મો. નં. ૯૮૭૯પ ૧૯૮રપ અને ૯૯૯૮૩ ૧૬૯૦૯.
મંગલ અવસરની થાંભલી રોપવાનું મુહૂર્ત સવારે ૯.૩૦ વાગ્યાનું છે. શુભ ચોઘડીએ યજ્ઞ આરંભ થશે. બીડુ હોમવાનો સમયે બપોરે ૧.૩૦ વાગ્યાનો છે. મહાપ્રસાદ પ્રસંગના દિવસ મંગળવારે સવારે ૧૧.૩૦ વાગ્યે અને સાંજે ૭ વાગ્યે રાખેલ છે. કરના ભૂવા તરીકે નિકુંજભાઇ બાબુભાઇ શેલડિયા છે. પંચના ભૂવા તરીકે ભાદાભાઇ કલાભાઇ, કશુભાઇ ભાડલાવાળા, જાદવભાઇ સાવલિયા, જયંતીભાઇ સોજીત્રા, નરશીભાઇ સોરઠિયા, અતુલભાઇ ગઢેચરિયા, ધીરૂભાઇ કાકડિયા, સુરેશભાઇ ઢોલરિયા, મનસુખભાઇ કાકડિયા, ગોવિંદભાઇ અને સવાભાઇ ભૂપગઢવાળા, રફાળાવાળા મહેશભાઇ કિયાડા, અનિલભાઇ કથીરિયા, વિજયભાઇ સોજીત્રા, રવિભાઇ શેલડિયા વગેરે રહેશે.
મંડપ અને યજ્ઞ પ્રસંગે વિવિધ ગામોના શેલડિયા પરિવારના સભ્યો તેમજ રાજકોટ શહેર-જિલ્લાના વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહેશે. ભાવિકોને ધર્મોત્સવનો લાભ લેવા આમંત્રણ અપાયું છે.