ગાંજા સાથે પકડાયેલ નવાગામ આણંદપરના શખ્સનો જામીન પર છુટકારો ફરમાવતી કોર્ટ
રાજકોટ,તા. ૩૦ : રાજકોટ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નારકોટીકસ ડ્રગ પદાર્થે અધિનિયમની કલમો મુજબની ફરીયાદ નોંધવામાં આવેલ હતી અને જે સબબ નવાગામ (આણંદપર) ખાતે રહેતા વિનોદસિંહ રાજુ હુકમસિંહ સેંગર નામના આરોપી ધરપકડ થતા આરોપીએ રાજકોટની સ્પેશ્યલ એન.ડી.પી.એસ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરતા અદાલતે જામીન અરજી મંજૂર કરી હતી.
આ કામે આરોપીની અટક થયા બાદ અને ચાર્જશીટ થઇ જતા વિનોદસિંહ રાજુ હુકમસિંહ સેંગર રહે.નવાગામ (આણંદપર) વાળાએ પોતાના એડવોકેટથી મારફત જામીન મુકત થવા માટે રાજકોટ સ્પેશ્યલ એન.ડી.પી.એસ. કોર્ટ સમક્ષ જામીન મુકત થવા માટે જામીન અરજી કરેલ હતી જે અન્વયે આરોપીઓ વતી રોકાયેલ એડવોકેટશ્રીએ કરેલ દલીલ તેમજ જામીન અરજી સંદર્ભે હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાનમાં રાખી કોર્ટ દ્વારા આરોપીને જામીન મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો. આ કામે આરોપીઓ વતી એડવોકેટ રણજીત એમ.પટગીર સાહીસ્તાબેન એસ.ખોખર, મીતેશ એચ.ચાનપુરા, પ્રહલાદસિંહ બી. ઝાલા રોકાયેલ હતા.