News of Monday, 2nd May 2022
નલીન ઉપાધ્યાય સહિત ૩ અધિકારીઓનારાજીનામાઃ જી.પી.એસ.સી.માં જોડાશે
રાજકોટના પૂર્વ ડી.ડી.ઓ. હવે જાહેર સેવા આયોગમાં મહત્વના સ્થાને
રાજકોટ તા. રઃ રાજય સરકારે ગુજરાત જાહેર સેવા આયોગમાં ૩ વર્તમાન અધિકારીઓ અને એક નિવૃત અધિકારીની નિમણુંક કરી છે. બંધારણીય જોગવાઇ મુજબ સરકારી અધિકારીએ જી.પી.એસ.સી.માં સભ્ય પદે જોડાતા પૂર્વ સરકારી નોકરીમાંથી રાજીનામું આપવું જરૂરી હોવાથી સભ્યપદે નિયુકત થયેલા સહકાર સચિવ એન. બી. ઉપાધ્યાય, જાહેર સેવા આયોગના સંયુકત સચિવ આશાબેન શાહ અને માર્ગ મકાન વિભાગના મુખ્ય ઇજનેર એસ. કે. પટેલએ રાજીનામું આપી દીધાનું જાણવા મળે છે. ચોથા સભ્ય અશોક ભાવસાર નિવૃત અધિકારી છે.
શ્રી એન. બી. ઉપાધ્યાય (આઇ.એ.એસ.) ભૂતકાળમાં રાજકોટમાં જિલ્લા વિકાસ અધિકારી, જામનગરમાં કલેકટર, વડોદરામાં મ્યુનિસિપલ કમિશનર વગેરે પદ પર યશસ્વી કામગીરી કરી ચૂકયા છે. (મો. ૯૯૭૮૪ ૦૬૯૮પ) ગાંધીનગર
(1:44 pm IST)