આહીર સમાજનું ગૌરવ : જય જાટીયાને ‘ભારત ગૌરવ પુરસ્કાર'
રાજકોટ તા. ૨ : મુળ રાજકોટના વતની અને હાલ ગાંધીનગર ખાતે સચિવાલયમાં ફરજ બજાવતા શ્રી અશ્વિનભાઇ જાટીયાના સુપુત્ર જય જાટીયા (એમ.એસ.સી. માઇક્રોબાયોલોજી) ને કેટુકે આઉટ સ્ટેન્ડીંગ અચીવર્સ એન્ડ એજયુકેશન ફાઉન્ડેશન ન્યુ દિલ્હી દ્વારા આઉટ સ્ટેન્ડીંગ અચીવમેન્ટસ તથા માઇક્રોબાયોલોજી ફિલ્ડમાં ઉત્તમ સિધ્ધી અને નોંધપાત્ર ફાળો આપવા બદલ નોમીનેટ કરવામાં આવતા તા. ૧ મે ૨૦૨૨ ના ‘ભારત ગૌરવ પુરસ્કાર' એનાયત કરવામાં આવેલ છે. આ સ્વર્ણિમ સિધ્ધી બદલ આહીર યુવા ફોરમ ગાંધીનગર દ્વારા શુભેચ્છાઓ વર્ષાવવામાં આવી હતીી. ઉલ્લેખનીય છે કે જય જાટીયા તેને ગમતા રીસર્ચ ફિલ્ડમાં રીસર્ચ સાયન્ટીસ્ટ તરીકે પ્રેરણા બાયો ઇનોવેશન્સ રીસર્ચ પ્રા.લી. ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે. તેઓ એડીટોરીયલ બોર્ડ મેમ્બર, બ્રીટીશ જનરલ, એમએઆર માઇક્રોબાયોલોજી તથા કન્ટ્રીબુટીંગ મેમ્બર અમેરીકન સોસાયટી ફોર માયક્રોબાયોલોજી તરીકે પણ માનદ્દ સેવાઓ આપી રહ્યા છે. તેઓ અવિરત પ્રગતિ કરતા રહે તેવી ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.