યુપીમાં વધુ એક નિર્ભયાકાંડ બન્યો છેઃ કરોડો દેશવાસીઓના દિલ દ્રવી ઉઠયા છેઃ આવેદન
નરાધમોને ફાંસી આપોઃ અખિલ ભારતીય જનવાદી મહિલા સમિતિની માંગણી
રાજકોટ તા. ૧ :.. અખિલ ભારતીય જનવાદી મહિલા સમિતિના અગ્રણીઓએ સંબોધી કલેકટરને આવેદન પાઠવી કેન્દ્રિય મંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી ઉત્તર પ્રદેશમાં બનેલી સામુહિક બળત્કારની ઘટના અંગે રજૂઆતો કરી હતી.
આવેદનમાં જણાવેલ કે, દેશમાં મહિલાઓ અસુરક્ષિત છે, તેમાં યુ.પી.માં મહિલાઓ વધુ અસુરક્ષિત છે. તાજેતરમાં યુ. પી.ના હાથરસ જિલ્લામાં સામૂહિક બળાત્કારની ઘટના બની છે. તે જોતાં યુ. પી.માં એક નિર્ભયાકાંડ બન્યો છે.
સામુહિક બળાત્કારની ઘટનામાં પીડીતા ઉપર જે ક્રુરતા આચરવામાં આવી છે. તેનાથી દેશના કરોડો દેશવાસીઓના દિલ દ્રવી ઉઠયા છે. પીડીતાની જીભ કાપી નાંખવામાં આવી, કરોડરજ્જુ ભાંગી નાંખવામાં આવી, શરીર ઉપર અનેક ઇજાઓ પહોંચાડવામાં અંતે પિડીતાનું કરૂણ મોત થયું છે. આવા અત્યાચર કરનારા અપરાધીઓને અમારો ફીટકાર છે. મોતની સજા પણ ઓછી પડે તે ક્રુરતાપૂર્વકની અપરાધ છે. આ ચાર નરાધમોને તાત્કાલીક ફાંસીની સજા થાય માટે વિશેષ પ્રકારની ફાસ્ટ ટ્રેક કોર્ટ ઉભી કરવી જોઇએ. જેથી પિડીતાના પરિવારને ન્યાય મળી શકે.