રાજકોટ
News of Friday, 3rd February 2023

સંજયનગરના યુવાન અમિતભાઇ ચોૈહાણનું બેભાન થઇ જતાં મોત

રાજકોટ તા. ૩: જામનગર રોડ પર સંજયનગરમાં રહેતાં યુવાનનું વહેલી સવારે બેભાન થઇ જતાં મોત નિપજ્‍યું હતું. સંજયનગર-૨માં ઉસ્‍માનિયા મસ્‍જીદ પાસે રહેતાં અમિતનભાઇ મનુભાઇ ચોૈહાણ (ઉ.વ.૪૨) નામના યુવાનને સવારે સાડા પાંચેક વાગ્‍યે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર અમિતભાઇ કડીયા કામની મજૂરી કરતાં હતાં અને બે ભાઇ તથા બે બહેનમાં મોટા હતાં. એક પુત્ર અને એક પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(3:19 pm IST)