રાજકોટ
News of Friday, 3rd February 2023

પ્રાંસલીમાં નશાની ટેવથી કંટાળી ઝેર પી લેતાં પ્રવિણભાઇનું મોત

રાજકોટ તા. ૩: કેશોદના પ્રાંસલીમાં રહેતાં યુવાને નશાની ટેવથી કંટાળી જઇ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પ્રાસંલીમાં રહેતાં પ્રવિણભાઇ કાળાભાઇ પારેડી (ઉ.૩૭)એ ૩૧મીએ ઝેરી દવા પી લેતાં કેશોદ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. દારૂના નશાની ટેવ હોઇ તેના કારણે પેટમાં બળતરા થતી હોઇ કંટાળીને આ પગલુ ભર્યાનું સગાએ જણાવ્‍યું હતું. સારવાર દરમિયાન ગત રાતે પ્રવિણભાઇનું મૃત્‍યુ નિપજ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇએ કેશોદ પોલીસને જાણ કરી હતી.

(4:34 pm IST)