News of Friday, 3rd February 2023
નવલકથાકાર મધુ રાય સોમવારે રાજકોટમાં
સુચિ વ્યાસ લિખિત પુસ્તક ‘આવો..આવો...'નું વિમોચન
રાજકોટ તા. ૩ :.. ખૂબ જ જાણીતા ગુજરાતી વાર્તાકાર, નવલ કથાકાર, અને નાટય લેખક મધુ રાય તા. ૬ ને સોમવારે રાજકોટના મહેમાન બનશે.
તા. ૬ ને સોમવારે સાંજે પ.૩૦ વાગ્યે ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ ખાતે ગુર્જરી પ્રકાશન, અમેરિકા તથા ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ દ્વારા લેખિકા સુચિ વ્યાસ લિખિત પુસ્તક ‘આવો...આવો...' ગ્રંથ લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.
આ તકે ડો. અનામિકભાઇ શાહ, સંજુભાઇ વાળા, સુચિ વ્યાસ, ડો. ઉષાબેન ઉપાધ્યાય, મીનળ પટેલ, વસંતભાઇ જોષી ઉપસ્થિત રહેશે.સંચાલન ડો. જીજ્ઞેશભાઇ ઉપાધ્યાય કરશે. આમંત્રીતોને ઉપસ્થિત રહેવા ગુર્જરી પ્રકાશન, યુ. એસ.ના કિશોરભાઇ ડી. દેસાઇએ આમંત્રણ પાઠવ્યું છે.
(4:16 pm IST)