News of Tuesday, 3rd August 2021
આમ આદમી પાર્ટીમાં જોડાયા
શહેર વોર્ડ નં. ૭ માં કરણપરા ચોક ખાતે આમ આદમી પાર્ટીના મહીલા સંગઠનમંત્રી મીનાબેન સરવૈયા, શહેર મંત્રી પરેશભાઇ શીંગાળાના અથાગ પ્રયત્નોથી જન સંવેદના યાત્રા યોજવામાં આવતા ૨૦૦ થી વધુ કાર્યકરોએ હાજર રહી આમ આદમી પાર્ટીની વિચારધારા સ્વીકારી હતી. પક્ષના અધ્યક્ષ શિવલાલ પટેલ, સંગઠન મંત્રી રાહુલભાઇ ભુવા, મહામંત્રી સંજયસિંહ વાઘેલા, યુવા પ્રમુખ રવિભાઇ માણેક, અહેમદ સાંઘ, ઓબીસી સેલના પ્રમુખ રશ્મીનભાઇ કાચા તેમજ મહિલા ઉપપ્રમુખ હંસાબેન ઘમ્મર, સંગઠન મહામંત્રી તજુબેન દોશી, વોર્ડ નં. ૧૪ ના ઉપપ્રમુખ સોનાબેન, શહેર મહિલા મહામંત્રી હર્ષાબેન શેઠ, મહામંત્રી પુનમબેન આગોલા સહીતનાની ઉપસ્થિતીમાં નવા જોડાયેલ બહેનો અને ભાઇઓને પક્ષનો ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા હતા.
(3:59 pm IST)