મારી ધરપકડ થઈ નથીઃ હેંમતભાઈ ચૌહાણ
મને બદનામ કરવાના હેતુથી ભાવિન ખખ્ખરે સોશ્યલ મીડિયામાં આવી ખોટી વાતો ફેલાવેલઃ કાયદા મુજબની કાર્યવાહી કરીશ
રાજકોટ,તા.૩: તાજેતરમાં સોશ્યલ મીડિયામાં હેમંતભાઈ ચૌહાણની કહેવાતી ધરપકડ અને જામીન ઉપર છૂટકારો થવાના સમાચારો વહેલા થયા છે, તેનાં અનુસંધાને હેમંત ચૌહાણે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે કોઈપણ અરજી કે ફરીયાદનાં અનુસંધાને મારી ધરપકડ થયેલ નથી.
આવા સમાચારો ભાવિન રસીક ખખ્ખરે ઈરાદાપૂર્વક અમોને બદનામ કરવાનો અને હેરાન કરવાનાં હેતુથી ફેલાવેલ છે. આ અંગે અમે માનહાની તેમજ કાયદા મુજબની કાર્યવાહી કરવા જઈ રહ્યા હોવાનું તેઓએ જણાવેલ.
ભાવિન ખખ્ખર સાથે મારે કોઈપણ પ્રકારનો ધંધાકિય વ્યવહાર નથી કે કોઈ કરાર થયેલ નથી. તેમ છતાં તેમના પિતાશ્રી રસીક ખખ્ખર થોડા થોડા સમયે અમોને ખરાબ ચિતરવા પ્રયાસ કરી રહ્યા છે. તેનાં જ ભાગરૂપે હાલ સોશ્યલ મીડીયામાં ખોટી વાત ફેલાવી હોય એવી મને શંકા હોવાાનું હેમંતભાઈ ચૌહાણે અંતમાં જણાવ્યું હતું.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)