રાજકોટ
News of Monday, 3rd October 2022

'ચોક પુરાવો... માટી રંગાવો... પદ્મશ્રી કૈલાશ ખેર અકિલાના આંગણે'

અકિલાના મોભિ શ્રી કિરીટભાઇ ગણાત્રાને મળવા ભારતના પ્રખ્યાત સુફિ અને પોપ ગાયક પદ્મશ્રી કૈલાશ ખેર આવ્યા હતા અને અકિલાના ખાસ મહેમાન બની આધ્યાત્મિક તેમજ સંગીતની ખુબ સુંદર વાતો કરી હતી. તેઓએ શ્રી કિરીટભાઇ પાસેથી અકિલા વિશે વિગતો મેળવી હતી અને જુના પ્રિન્ટીંગ મશીન તથા કોન્ફરન્સ હોલની સજાવટનો પારિવારિક માહોલ જોઇ ખુબજ રાજીપો વ્યકત કર્યો હતો. કૈલાશજીએ અલગજ અદામાં નટરાજ નૃત્યરૃપી પોઝ આપ્યો હતો. આ સમયની યાદગાર તસવીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે પદ્મશ્રી કૈલાશ ખેર, ભારતીબેન નાયક, ગાયિકા મનીષા કરાંદિકર, હર્ષાબેન તેમજ પ્રશાંત બક્ષી નજરે પડે છે. (તસવીર : સંદિપ બગથરિયા)

(3:53 pm IST)