News of Saturday, 3rd December 2022
વ્યસન મુકિત કેમ્પ
કાલે ઔષધી-માર્ગદર્શન નિઃશુલ્ક મળશે
રાજકોટ,તા. ૩ : કાલે રવિવારે સવારે ૯ થી ૧૧ વાગ્યા દરમિયાન શ્રી ભગવતી પ્રાઇડ શિવાલય ચોક, દ્વારિકા વીલેજ સામે, મોરબી-માધાપર બાયપાસ ખાતે વ્યસન મુકિત કેમ્પ યોજાશે. જેમાં ઔષધી-માર્ગદર્શન વિનામૂલ્યે અપાશે.
અજયભાઇ વાડોલિયા કહે છે કે પાન-ફાકીથી માંડીને અફિણ -બજર-દારૂ જેવા વ્યસનો ૧૫ દિવસોમાં છૂટી શકે છે. કેમ્પમાં કેફી-માદક પદાર્થોનું સેવન કરીને ન આવવું વધારે વિગતો માટે મો. ૮૦૦૦૦ ૬૪૬૪૬ નંબર પર સંપર્ક કરવો.
(3:29 pm IST)