કાલે ગુરૂ ગોવિંદસિંહજી જયંતિ નિમિતે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે ધ્યાનોત્સવ
રાજકોટઃ ૨૪ કલાક ઓશો કાર્યથી ધમધમતું વિશ્વનું એકમાત્ર ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે અને નિયમિત છેલ્લા ૩૬ વર્ષોથી અવાર નવાર વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે. જેનું સંચાલન સ્વામિ સત્ય પ્રકાશ કરી રહ્યા છે.
આવતીકાલે તા.૫ જાન્યુ.ને બુધવારના રોજ ગુરૂ ગોવિંદસિંહજી જયંતિ નિમિતે હરસાલની માફક આ વર્ષે પણ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર સાંજના ૬:૪૫ થી ૭:૪૫ દરમ્યાન કિર્તન ઉત્સવ સાથે ધ્યાનોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરોકત ગુરૂ ગોવિંદસિંહજી જયંતિના કાર્યક્રમમાં સહભાગી થવા ઓશો સન્યાસી તથા પ્રેમીઓને ઓશો ઈનર સર્કલ દ્વારા અનુરોધ કરેલ છે.
સ્થળ- ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવર બ્રિજ પાસે, ૪ વૈદવાડી, 'ડી' માર્ટની પાછળની શેરી, રાજકોટ.
વિશેષ માહિતી માટેઃ- સ્વામિ સત્ય પ્રકાશ મો.૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડ મો.૯૮૨૪૮ ૮૬૦૭૦